Skip to main content

Posts

ધ્યાનયોગ | અધ્યાય છ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

 ધ્યાનયોગ | અધ્યાય છ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Six In Gujarati श्रीभगवानुवाच : अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ।  स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥ १ ॥ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ જે મનુષ્ય પોતાનાં કર્મનાં ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાનાં કર્તવ્યાનુસાર કર્મ કરે છે , તે સંન્યાસી છે તથા તે જ સાચો યોગી પણ છે , અને નહિ કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્યકર્મ કરતો નથી .(1) यं सन्न्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव ।  न ह्यसन्यस्तसङ्कल्पो योगी भवति कश्चन ॥२ ॥ હે પાંડુપુત્ર , જે સંન્યાસ કહેવાય છે , તેને જ તું યોગ અર્થાત્ પરમબ્રહ્મ સાથે યુક્ત થવું જાણ , કારણ કે ઇન્દ્રિયતૃપ્તિ માટેની ઇચ્છાનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય કદાપિ યોગી થઈ શકે નહિ. (2) आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।  योगारूढस्यतस्यैव शमः कारणमुच्यते ॥ ३ ॥ અષ્ટાંગયોગમાં નવોદિત સાધક માટે કર્મ એ સાધન કહેવાય છે અને યોગમાં ઉન્નત થયેલા મનુષ્ય માટે સર્વ ભૌતિક કાર્યોનો ત્યાગ એ જ સાધન કહેવાય છે .(3) यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते ।...

પરમેશ્વરનું જ્ઞાન | અધ્યાય સાત | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

પરમેશ્વરનું જ્ઞાન | અધ્યાય સાત | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Seven In Gujarati श्रीभगवानुवाच :  मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः ।  असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ॥ १ ॥ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે પૃથાપુત્ર , હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહરહિત થઈ જાણી શકીશ .(1) ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः ।  यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते ॥ २ ॥ હવે , હું તને પૂર્ણરૂપે ઇન્દ્રિયગમ્ય તથા દિવ્ય એમ બન્ને જ્ઞાન વિશે કહીશ . આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહિ .(2) मनुष्याणां सहस्त्रेषु कश्चिद्यतति सिद्धये ।  यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥ ३ ॥ હજારો મનુષ્યોમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે અને , આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે .(3) भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च ।  अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ॥४ ॥ પૃથ્વી , જળ , અગ્ન...

ભગવત્પ્રાપ્તિ | અધ્યાય આઠ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

ભગવત્પ્રાપ્તિ | અધ્યાય આઠ| શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Eight In Gujarati अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम ।  अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥ १॥ અનુવાદ અર્જુને પૃચ્છા કરીઃ હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? આત્મા શું છે? સકામ કર્મ શું છે? આ ભૌતિક જગત શું છે? અને દેવો શું છે? કૃપા કરી આ બધું મને સમજાવો. अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन ।  प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥ २ ॥ અનુવાદ હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્યો અંતકાળે આપને કેવી રીતે જાણી શકે છે? श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते ।  भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥ ३ ॥ અનુવાદ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું: અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા આત્મા કહે છે. જીવોનાં ભૌતિક શરીરોનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલાં કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહે છે. अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् ।  अधियज्ञ...

પરમ ગુહ્ય જ્ઞાન | અધ્યાય નવ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

પરમ ગુહ્ય જ્ઞાન  | અધ્યાય  નવ  | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Nine In Gujarati श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।  ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥ १ ॥ અનુવાદ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ પ્રિય અર્જુન, તું કદાપિ મારી ઈર્ષા કરતો નથી, તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ, કે જે જાણી તું ભૌતિક અસ્તિત્વના સર્વ ક્લેશોમાંથી મુક્ત થઈ જઈશ. राजविद्याराजगुह्यं पवित्रमिदमुत्तमम् । प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ॥ २ ॥ અનુવાદ આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, જે સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે. તે વિશુદ્ધતમ જ્ઞાન છે અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. તેથી તે ધર્મની પૂર્ણતા છે. તે અવિનાશી છે અને આચરવામાં સુખદ છે. अश्रद्दधानाः पुरुषा धर्मस्यास्य परन्तप । अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवत्र्त्मनि ॥ ३ ॥ અનુવાદ હે શત્રુવિજેતા, જે મનુષ્યો ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મ-મરણના માર્ગે પાછા આવે છે. मया...

પરમેશ્વરનું ઐશ્વર્ય | અધ્યાય દશ | શ્રીમદ્દ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

પરમેશ્વરનું ઐશ્વર્ય |  અધ્યાય દશ | શ્રીમદ્દ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Ten In Gujarati   श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः ।  यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥ १ ॥ અનુવાદ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે મહાબાહુ અર્જુન, વળી સાંભળ, તું મારો પ્રિય સખા છે તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ હશે. न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः । अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः ॥ २ ॥ અનુવાદ મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્રોત છું. यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् ।  असम्मूढः स मर्त्येषु सर्वपापैः प्रमुच्यते ॥ ३ ॥ અનુવાદ મનુષ્યોમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે, જે મને અજન્મા, અનાદિ તથા સર્વ ગ્રહમંડળોના સ્વામી તરીકે જાણે છે. बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः । सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥ ४ ॥ अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयशः । भवन्ति भावा भूतानां मत्त एव पृथ...

વિશ્વરૂપ દર્શન | અધ્યાય અગિયાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

વિશ્વરૂપ દર્શન | અધ્યાય અગિયાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Eleven In Gujarati  अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् ।  यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ॥ १ ॥ અનુવાદ અર્જુને કહ્યું: આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે, તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે. भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।  त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् ॥ २ ॥ અનુવાદ Ro હે કમળનયન, મેં આપની પાસેથી જીવમાત્રનાં ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ ર્યો છે. एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर ।  द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम ॥ ३ ॥ અનુવાદ - હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ દૃશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઇચ્છા છે. આપના એ સ્વરૂપનાં હું દર્શન કરવા ઇચ્છું છું. मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो । योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् ॥ ४ ॥ ...